Saturday 13 March 2021

Ayat and Nikas

Niche apeli file read out krine ayat ane Nikas visheno tmaro khyal ane teni jaruriyat vishe 300 shabdo ma comment box ma comment apo...

11 comments:

  1. Aa ટાસ્ક માં આંતર રાષ્ટીય વેપાર નિ વાત કરવામાં આવી છે. ૨૦૦૯+૧૪ થી ૨૦૧૪-૧૯ માં આપને ને ઘણો બધો સુધારો જોવા મળે છે. Aa દેશોમાં મુખ્યત્વે ૫ વેપારી દેશો ભાગીદાર છે. જેમાં, અમેરિકા, ચીન, સાઉદી અરેબિયા, હોંગ કોંગ નો સમાવેશ થાય છે. સોનાની આયાત નો પ્ણ સોનાની કિમતો સાથે ભારત નિ આયતો સાથે પ્ણ સહસબંધ છે. આપણે જોઈયે તો આયાતો માં પેટ્રોલીઅમ, સોનું, ક્રુડ પેટ્રોલીઅમ, તેમજ કિંમતી રત્નો અને કીમતી ધાતુ ાઓ નો સમાવેશ થાય છે. ભારત માં પ્ણ આવી વસ્તુ ઓની આયાત કરવામાં આવે છે. તેમજ આ વસ્તુ ઓ નું પ્રમાણ ખૂબજ વધી ગ્યું છે. હાલ આવી વસ્તુ ઓનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. અને જોઈયે તો નિકાસ માં પેટ્રોલીઅમ, ઉત્પાદન, કિમતી ધાતુ ાઓ, દવાની ફોર્મ્યુલા, બયોલોજીક સોનું અને અન્ય ધાતુ ાઓ વગેરે નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં સૌથી વધારે નિકાસ થયેલા દેશો માં:ેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે ઉનાઇટડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, પછી ચીન અને હોંગ કોંગ છે.વર્ષ ૨૦૦૯-૨૦૧૪ થી વર્ષ ૨૦૧૪-૨૦૧૯ સુધી નોન- પીઓ અલ્ નિકાસ માં વધારે નોંધ પાત્ર ઘટાડો થયો છે. આપણે જોઈયે તો સોથી વધુ આયાત ચીન નિ છે. અને ત્યાર બાદ અમેરિકા વગેરે આવે છે. આમ આપડે જોઈયે તો આવક વધે ત્યારે નિકાસ ઘટે છે, અને નિકાસ વધે ત્યારે આયાત ઘટે છે. આમ ાએક બીજા થી વિરુદ્ધ પ્રોસેસ ચાલ્યા કરે છે. તેમજ ભારત પ્ણ ઘણો વિકસિત દેશ થતો ગયો છે. ભારત નાં ૫ વેપારી ભાગીદાર દેશો માં અમેરિકા, ચીન,યુએ, સાઉદી અરેબિયા, અને હોંગ કોંગ છે. તેમજ ભારત માં જીડીપી રસિયો ઘટ્યો હતો, જેની બીઓપી પર ચોખ્ખી સકારાત્મક અસર થઇ છે. સોના માં આયાત વેરો વધવાથી સોના નિ આયાત માં ઘટાડો જવાબદાર હોવાની શક્યતા છે. તેમજ નોન- પીઓ ાએ- નોન- ગોલ્ડ આયાત જીડીપી વૃધ્ધિ સાથે સકારાત્મક સમસબંધ ધરાવે છે. તેમજ ભારત માં આવી ઘટના ઓ ચાલ્યા કરે છે. જે અગ્ વડતા ઊભી કરે છે. આ ટાસ્ક માં આપણ ને ભારત નિ આર્થિક પરિસ્થિતિ વિષે દર્શાવવમાં આવ્યુ છે. તેમજ તેમા થતી વધ ઘટ ને મુકવામાં આવ્યું છે. આમ ભારત આયાત અને નિકાસ સાથે સહ સબંધ ધરાવે છે. ભારત ાએ ઘણી બધી પ્રોસેસર માં આગળ વધી રહ્યું છે. આપણો દેશ ાએ ઘણી બધી પ્રોડક્ટ બહાર પાડી છે. આમ આ ટાસ્ક માં આપણે જોઈ શકીયે છીયે કે હાલ જો આવી ચીજ વસ્તુ ઓની તંગી સર્જાશે તો આ અર્થતંત્ર નું માળખું ભાંગી પડશે. તેથી આપણે જાણીએ, સમજી ને આ વસ્તુ નો તેમજ પુરવઠાનો ઉપયોગ કરવો જોઈયે, જે આપણા માટે હિતાવહ છે.

    ReplyDelete
  2. આ ટાસ્કમાં આંતરરાષ્ટ્રીય વેપારની વાતો કરવામાં આવી છે, જેમાં આયાત-નિકાસ ની વાત કરવામાં આવી છે.
    ★ જેમાં સૌથી વધુ નિકાસ થતી ચીજવસ્તુઓ તે પેટ્રોલિયમ ઉત્પાદનો, કિંમતી રત્નો, દવાની ફોર્મ્યુલા અને બાયોલોજીકલ્સ, સોનું અને અન્ય કિંમતી ધાતુઓ છે.
    ★ તેમજ સૌથી વધુ આયાત થયેલ ચીજવસ્તુઓ તે ક્રૂડ પેટ્રોલિયમ, સોનું, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, કોક અને બ્રિકવેટ્સ છે.
    ★ નિકાસમાં જીડીપી રેશિયોમાં ચીજવસ્તુઓની નિકાસ ઘટી જે બીઓપિની પોઝિશન પર નકારાત્મક અસર કરે છે.
    ★ ભારત માટે આયાત માં જીદીપીમાં ચીજસ્તુઓની આયાત નો રેશયો ઘટયો હતો. જેની બિઓપી પર ચોખ્ખી સકારાત્મક અસર થઈ છે.
    ★ વર્ષ 2019-20 માં સૌથી વધુ નિકાસ થયેલ દેશો તે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ), યુએઈ, ચીન અને હોંગકોંગ છે.
    જ્યારે ભારતમાં સૌથી વધુ આયાત ચીનથી થઈ હતી, અને ત્યારબાદ અમેરિકા, યુએઈ અને સાઉદી અરેબિયાથી થઈ હતી.
    આમ, આ ટાસ્ક વાંચ્યા પછી એમ કહી શકાય કે નિકાસમાં વધારો થાય તો આયાતમાં ઘટાડો થાય છે, અને આયાતમાં વધારો થાય તો નિકાસમાં ઘટાડો થાય છે, એટલે કે તે બંનેમાં વિરોધિસંબંધ જોવા મળે છે.

    ReplyDelete
  3. આ ટાસ્ક માં આંતરરાષ્ટ્રીય વેપાર નો વાત કરવામાં આવી છે.ભારત માં વર્ષ 2009-14 થી વર્ષ 2014-19 સુધી ભારતની ચીજવસ્તુઓનું વેપારી સંતુલનમાં સુધારો આવતા ક્રૂડ ઓઇલના ધટાડો થયો હતો.ભારત માં ટોચના 5 વેપારી ભાગીદાર દેશો જેવા કે,અમેરિકા,ચીન,યુએઇ,સાઉદી અરેબિયા અને હોંગકોંગ નો સમાવેશ થાય છે.
    ★ આપના દેશ માં સૌથી વધુ ચીજવસ્તુઓ માટે નિકાસ કરવી પડે છે.ઉદા. પેટ્રોલિયમ ઉત્પાદનો,કિંમતી રત્નો,દવાની ફોર્મ્યુલા અને બાયોલોજીકલ્સ,સોનું અને અન્ય કિંમતી ધાતુઓ.
    ★ આપડે જોઈએ તો સૌથી વધુ નિકાસ થયેલા દેશોમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પછી સંયુક્ત આરબ અમિરાત,ચીન અને હોંગકોંગ આવે છે.
    ★ જીડીપી રેશિયો માં ચીજવસ્તુઓની નિકાસમાં ધટાડો થવાથી બીઓપિની પોઝીશનમાં નકારાત્મક અસર કરે છે.
    ★ 2009-14 થી વર્ષ 2014-19 સુધી નોન - પીઓએલ નિકાસમાં વૃદ્ધિ ક્રમશઃ ધટાડો થયો હતો.
    ★ આપડા દેશમાં સૌથી વધુ આયાત થયેલી ચીજવસ્તુઓમાં જોઈએ તો ક્રૂડ પેટ્રોલિયમ,સોનું, પેટ્રોલિયમ ઉત્પાદનો,કોલસો,કોક અને બ્રીકવેટ્સ.
    ★ ભારત સૌથી વધુ આયાત ચીનથી થાય હતી અને ત્યારબાદ અમેરિકા,યુએઇ અને સાઉદી અરેબિયાથી થાય હતી.
    ★ આયાતનો સહસંબંધ ક્રૂડ ની કિંમતો સાથે ભારતની કુલ આયાત સાથે છે.ક્રૂડ ની કિંમતોમાં વધારો થવાથી કુલ આયાતના હિસ્સો વધ્યો જેના લીધે જીડીપી રશિયામાં આયાત નો હિસ્સો પણ વધ્યો છે.
    ★ જીડીપી રેશિયામાં આયાત માટે ચીજવસ્તુઓ નો રેશિયો ઘટયો હતો.જેની બિઓપી પર ચોખ્ખી સકારાત્મક અસર થાય છે.
    આમ, આંતરરાષ્ટ્રિય વેપાર માં આયાત - નિકાસ આ બંને સિક્કાની બે બાજુઓ છે એમ કહી શકાય તેથી જેમ આયાત માં વધારો થાય તેમ તેની બીજી બાજુ નિકાસ માં ધટાડો થાય અને જો નિકાસમાં વધારો થાય તો આયાત માં ધટાડો થાય છે.આ બંને એક બીજા થી વિરુદ્ધ છે એમ પણ કહી શકીએ.

    ReplyDelete
    Replies
    1. . આંતરરાષ્ટ્રીય વ્યાપાર
      વર્ષ ૨૦૧૯-૨૦ માં સૌથી વધારે નિકાસ થયેલા દેશો માં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, પછી ચીન અને હોંગ કોંગ છે.વર્ષ ૨૦૦૯-૨૦૧૪ થી વર્ષ ૨૦૧૪-૨૦૧૯ સુધી નિકાસ માં વધારે નોંધ પાત્ર ઘટાડો થયો છે. આપણે જોઈયે તો સોથી વધુ આયાત ચીન નિ છે. અને ત્યાર બાદ અમેરિકા વગેરે આવે છે. આમ આપડે જોઈયે તો આવક વધે ત્યારે નિકાસ ઘટે છે, અને નિકાસ વધે ત્યારે આયાત ઘટે છે. આમ એક બીજા થી વિરુદ્ધ પ્રોસેસ ચાલ્યા કરે છે. તેમજ ભારત પ્ણ ઘણો વિકસિત દેશ થતો ગયો છે. ભારત નાં ૫ વેપારી ભાગીદાર દેશો માં અમેરિકા, ચીન,યુએ, સાઉદી અરેબિયા, અને હોંગ કોંગ છે. તેમજ ભારત માં જીડીપી રસિયો ઘટ્યો હતો, જેની બીઓપી પર ચોખ્ખી સકારાત્મક અસર થઇ છે.
      -
      અર્થતંત્રને વેગ આપવા માટે ભારતમાંથી નિકાસમાં નોંધપાત્ર વિકાસ અને ભારતની આયાતને સક્ષમ બનાવવી.
      આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વેપારી વેપારના ટકાવારીના ભાગમાં ઓછામાં ઓછું બમણું કરવું.
      ચુકવણી અને વેપારનું સંતુલન સુધારવા માટે.
      નાગરિકો માટે રોજગારની તકો ઉભી કરીને આર્થિક વિકાસના અસરકારક સાધન તરીકે કાર્ય કરવું; વેપાર પ્રવૃત્તિઓનું વિસ્તરણ જેટલું મોટું છે, તેટલું વધુ કાર્યબળ જરૂરી છે.
      ઉત્પાદન વધારવા માટે જરૂરી કાચા માલ અને અન્ય ઘટકો, ઉપભોક્પયોગ્ય વસ્તુઓ, અને ઉત્પાદન વધારવા માટે જરૂરી મૂડી માલની સક્સેસ આપીને ટકાઉ વિકાસ માટે અને કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવા માટે.
      આયાત નિકાસ માં દેશ ના gdp માં વધારો કરવા માટે સૌથી વધારે મહત્વનું એ નિકાસ ગણાય છે. નિકાસ થી દેશ ના નાગરિકોની માથાદીઠ આવકમાં વધારો થશે આથી આયાત કરતા નિકાસ વધે તે આવકાર જનક છે.

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. આ ટાસ્કમાં ભારતના આયાત નિકાસની સર્ચા કરવામાં આવી છે
    ભારતના વિદેશવેપારનું સ્વરૂપ તપાસતા સમજાય છે કે , ભારત જે 1951 માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઊભરતા અર્થતંત્ર તરીકેની ઓળખ પામી . ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયતો મોટા પ્રમાણમાં થાય છે . 1950 અને 1960 ના દાયકાઓમાં ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી હતી . વળી , વિકાસલક્ષી આયાતો જેવી કે મશીનો , મૂડી , ટેક્નોલૉજી , નિષ્ણાતોની સલાહ , સ્પેરપાર્ટ્સ વગેરેની પણ મોટા પ્રમાણમાં થતી હતી . વળી , નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસો વધુ હોય છે . ભારતમાં ચા , કૉફી , શણ , કાચી ધાતુઓ અને ખનીજ વગેરેની નિકાસનું પ્રમાણ વધુ હતું અને ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો નીચી હતી . જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે અને દેશની નિકાસમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે . ભારતમાં સીત્તેર અને એંશીના દાયકાઓમાં આ પ્રકારનાં વલણો જોવા મળ્યાં
    > નિકાસની ગતિ વધતા , વિકાસના નિભાવ માટે , નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ તથા વિસ્તૃતીકરણ માટેની આયાતો વધે છે જેમ કે વચગાળાની વસ્તુઓ , કાચો માલ , સ્પેરપાર્ટ્સ , પેટ્રોલ , નવીન ટેક્નોલૉજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ . 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું . ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડી આયાતો પણ ઓછી થઈ . પરંપરાગત નિકાસો જેવી કે ચા , કૉફી , શણ વગેરેનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થયો અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો ફાળો વધ્યો . દા.ત. , સૉફ્ટવેરની નિકાસ . 1961 માં ખાદ્યવસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1 ટકાનો હિસ્સો ધરાવતી હતી જે 2014-15માં ઘટીને ફક્ત 3.9 % થયો . એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્યવસ્તુઓમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી . વિકાસની ગતિ વધતાં ભારતમાં મૂડી અને મૂડીપ્રચુર વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન થઈ શકી અને આથી મૂડી આયાતો સારા પ્રમાણમાં ઘટવા પામી . 1960-61માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7 % હતો , જે ખૂબ ઊંચા હતો જે 2014-15માં ઘટીને 9.8 % થયો . અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2 % હતું , જે 2014-15માં 46.5 % થયું . એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન વસ્તુઓની આયાતો વધે છે .

    ReplyDelete
  6. આંતર રાષ્ટ્રીય વ્યાપાર
    - નિકાસ વઘારવાથી દેશ માં રોજગારી ઊભી કરી શકાય છે. ઉદાહરણ તરીકે, કારની નિકાસમાં વૃદ્ધિએ કાર ઉદ્યોગોમાં ઘણી નોકરીઓ ઉભી કરી છે, જેમ કે ઓક્સફર્ડ બીએમડબ્લ્યુ ફેક્ટરી, અને સન્ડરલેન્ડમાં નિસાન. પરંપરાગત રીતે નિકાસ નોકરીઓ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં રહી છે - ખાસ કરીને ઔદ્યોગિક પ્રદેશોમાં પૂરા સમયના રોજગારનો મહત્વપૂર્ણ સ્રોત. તાજેતરના વર્ષોમાં, સેવા ક્ષેત્ર આધારિત નિકાસ પર વધુ નિર્ભરતા સાથે નિકાસ વધુ વૈવિધ્યસભર બની છે, ઉદાહરણ તરીકે, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. જ્યારે તેમની સરખામણી માં આયાત માં વધારો થવાથી નોકરી નું સર્જન થતું નથી અને દેશ ની માથે દેવું વધી જાય છે.
    ભારત માં આયાત વધવાથી ફાયદો પણ થયો છે જેમાં સસ્તા ભાવ માં સારી વસ્તુ મેળવી શકાય છે ઉદાહરણ ચીનના રમકડાં , સ્માર્ટ ફોન વગેરે જ્યારે તેની સરખામણી માં દેશ ના ઉધોગો ને ખોટ પણ પડી છે ભારત ચીની ચીજવસ્તુઓ ખરીદવાનું બંધ કરે તો ચીન વધુ નુકસાન પહોંચાડશે કારણ કે તેની પાસે અમારી પાસે વેપારનો ઉપાય છે. જો ભારતે સામાન્ય રીતે વિદેશથી માલની આયાત કરવાનું બંધ કરી દીધું હોય અને સ્થાનિક રીતે દરેક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો તેની મજબુત અર્થવ્યવસ્થા રહેશે.
    આમ આયાત અને નિકાસ અંગે તે ગાડીના બને પૈડાં સમાન છે.

    ReplyDelete